શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી. આ યાત્રાધામ ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. હાલમાં દિવાળીના ઉત્સવ પર્વ ચાલી રહ્યાં છે, ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં માતાના ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આજે દેવઉઠી અગિયારસ છે અને આજની જ લગ્નની સીઝન શરુ થઇ રહી છે. ત્યારે માંઇ ભક્તો ધજા અને હવન પૂજન કરાવી રહ્યાં છે. આજે સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ માતાજીના દર્શન કર્યા હતા. મંદીરની યજ્ઞ શાળામાં હોમ હવન કરીને રાજ્યની સુખાકારી માટે આહુતિ આપી માતાજીના મંદિરના શિખરે ધજા ચડાવીને પ્રાર્થના કરી હતી.
Recent Posts
સુરતમાં દમણ જેવો બિયર બારનો માહોલ બનાવનાર સરોલીના પીઆઇ આખરે સસ્પેન્ડ કરાયા
June 13, 2024
No Comments
જાણો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ ક્યાં સુધી પહોંચ્યું ? રેલવે મંત્રાલયે આપી આ અપડેટ
June 11, 2024
No Comments